Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

બુધવારે પ્રજાસત્તાક દિનની ધમાકેદાર ઉજવણી થશેઃ શાનદાર રીહર્સલ યોજાયુ

રાજકોટઃ. આગામી બુધવારે ભારતના પ્રજાસત્તાક દિન ૨૬મી જાન્યુઆરીની શાનદાર ઉજવણી થશે. રાજકોટમાં સવારે ૯ વાગ્યે એસઆરપી-ઘંટેશ્વર હેડ કવાર્ટર ખાતે પ્રભારીમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી રાષ્ટ્રધ્વજ લહેરાવશે. આ સાથે કોરોના વોરીયર્સનું સન્માન, ૭૫માં આઝાદી દિન થીમ ઉપર કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો, પરેડ યોજાશે. આજે શાનદાર રીહર્સલ યોજાયુ હતું. તસ્વીરમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા બાદ સલામી ઝીલતા કલેકટર શ્રી અરૂણ મહેશબાબૂ અને અન્ય અધિકારીઓ તથા યોજાયેલ પરેડ અને પરેડની સલામી ઝીલતા કલેકટરશ્રી અને પોલીસ અધિકારીશ્રી નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(11:43 am IST)