Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

મવડી સ્થિત લોધીકાવાળા મામા સાહેબના આંગણે હરખના તેડાઃ ગુરૃવારે માતાજીનો માંડવો

રાજકોટઃ શહેરના મવડી ચોકડી શકિતનગર-૧ જીથરીયા હનુમાન મંદિર સામે (મો.૯૮૯૮૯ ૯૨૯૯૯) આવેલ સુપ્રસિધ્ધ શ્રી લોધીકાવાળા મામા સાહેબના આંગણે તા.૨૬ના ગુરૃવારે શ્રી ખોડીયાર માતાજીનો ૨૪ કલાક પંચાવ માંડવો યોજાએલ છે.

૨૬મીએ સવારે ૭ કલાકે થાંભલી રોપાશે, સાંજે ૭ વાગ્યાથી મહાપ્રસાદ રાખેલ છે.

પંચના ભુવા શ્રી જગદીશભાઈ રાઠોડ, શ્રી દિલીપભાઈ ગોહેલ, શ્રી ભુપતભાઈ રાઠોડ, શ્રી દિનેશભાઈ ચાવડા, શ્રી વજુભાઈ ડોડીયા, શ્રી દિનેશભાઈ હેરમા અને શ્રી મિતુલભાઈ સુરેલા.

આયોજને સફળ બનાવવા સર્વશ્રી જયરાજભાઈ રાઠોડ, મુન્નાભાઈ ભરવાડ, ભુપતભાઈ બસીયા, સુખદેવસિંહ ઝાલા, સંદિપભાઈ બગથરીયા, રાજભા જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, ધમભાઈ માંજરીયા, રોહિતભાઈ રાઠોડ, વનરાજભાઈ માવલા, બ્રીજેશ પંડયા, અજયભાઈ મૈયડ, પ્રતિક વાજા, ભાવેશભાઈ ખીમાણીયા, કૌશીક અગાવત, ધર્મેશ ડોડીયા,  ધર્મેશભાઈ ગોલતર, પંકજ વાંક, દિનેશભાઈ ચાવડા, બહાદુરસિંહ ગોહિલ જહેમત ઉઠાવી રહ્યાા છે.

(3:11 pm IST)