Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ભાજપ દ્વારા ડો.શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલી

રાજકોટ : જનસંઘના સ્થાપક પ્રમુખ અને ભાજપના માર્ગદર્શક એવા રાષ્ટ્રને સમર્પિત ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બલીદાન દિવસ નિમિતે શહેર ભાજપ દ્વારા પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, મેયર ડો. પ્રદીપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રક્ષાબેન બોળીયા, ભાનુબેન બાબરીયા, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, દંડક સુરેન્દ્રસિંહ વાળા, શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડીત અને અપેક્ષીત શ્રેણીના કાર્યક્રર્તાઓની ઉપસ્થિતિમાં આર્ટગેલેરી રેસકોર્ષ ખાતે પુષ્પાંજલી અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી અને પી. નલારીયન પંડિતે જહેમત ઉઠાવી હતી. સાથો સાથ શહેરના તમામ વોર્ડના દરેક બુથ પર પણ પુષ્પાંજલી કાર્યક્રમ થયો હતો. ૩૭૦ મી કલમ નાબુદ દેશના વડાપ્રધાને પણ ખરા અર્થમાં ડો. શ્યામાપ્રસાદજીને અંજલી અર્પી હોવાની વાતને યાદ કરાઇ હતી.

(3:11 pm IST)