Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં વેકસીનેશન કેમ્પ

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતિ વિદ્યાસંકુલની નવા થોરાળા ખાતે આવેલ શાળામાં કોરોના વેકસીનેશન કેમ્પનું આયોજન કરાયુ હતુ. શાળાના ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓએ તેમજ તેમના પરિવારજનોએ વેકસીન મુકાવી હતી. આ તકે મેયર પ્રદીપભાઇ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, વોર્ડ કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા, આરોગ્ય અધિકારી ડો. મનીષભાઇ ચુનારા, સુરેન્દ્રસિંહ વાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના ચેરમેન અપૂર્વભાઇ મણીઆરના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કેમ્પના સફળ આયોજન બદલ સંસ્થાના ચેરમેન અને ટ્રસ્ટીઓ અનીલભાઇ કિંગર તથા ખંતીલભાઇ મહેતાએ શાળાના પ્રધાનાચાર્યો તથા આચાર્યોને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી. સંસ્થાના વ્યવસ્થાપક કમીટીના સભ્યો દેવજીભાઇ વાઘેલા, રાજલબેન વ્યાસે કોરોના વેકસીન મુકાવનાર વાલીઓની પ્રસંશા કરી અભિનંદન પાઠવ્યા હતા.

(3:12 pm IST)