Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

બેકારીથી કંટાળી પ્રકાશ ચોૈહાણે ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધું

સાધુ વાસવાણી રોડ રાજીવ ગાંધી આવાસ યોજના કવાર્ટરમાં બનાવ : મુળ ધારીનો પરિવાર છ માસથી રાજકોટ રહેવા આવ્યો છેઃ યુવાન દિકરાના મોતથી ગમગીની

રાજકોટ તા. ૨૪: સાધુ વાસવાણી રોડ પર રાજીવ ગાંધી આવાસ યોજના કવાર્ટરમાં ચોથા માળે રહેતાં પ્રકાશભાઇ કાળુભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૭) નામના યુવાને પંખાના હુકમાં પ્લાસ્ટીકની દોરી બાંધી ગળાફાંસો ખાઇ મોત મેળવી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડકોન્સ. સાજીદભાઇ ખેરાણી અને અનુજભાઇ ડાંગરે બનાવ સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર પ્રકાશ ત્રણ ભાઇમાં નાનો અને અપરિણીત હતો. તે બે ભાઇઓ અને માતા સાથે છ મહિના પહેલા મુળ ગામ ધારીના ડેડાણથી અહિ રાજકોટ રહેવા આવ્યો હતો. અગાઉ તે છુટક કામ કરતો હતો. પરંતુ હાલમાં કેટલાક સમયથી કામધંધો મજૂરી મળતાં ન હોઇ બેકારીથી કંટાળી ગયો હતો. આ કારણે આવુ પગલુ ભરી લીધાનું તેના પરિવારજનોએ કહ્યું હતું.

(3:15 pm IST)