Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ભોમેશ્વરમાં એકલા રહેતા એડવોકેટ વિપુલભાઇ લીંબડીયાની તેના ઘરમાંથી કોહવાયેલી લાશ મળી

દુર્ગંધ આવતા પાડોશીઓએ દરવાજો તોડીને જોતા મૃતદેહ જોવા મળ્યોઃ મોતનું કારણ જાણવા તપાસ

રાજકોટ તા. ર૪: ભોમેશ્વરમાં એકલા જ રહેતા એડવોકેટની તેના જ ઘરમાંથી કોહવાયેલી લાશ મળી આવતા ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ ભોમેશ્વર શેરી નં. ૮ માં એકલા રહેતા એડવોકેટ વિપુલભાઇ મહેન્દ્રભાઇ લીંબડીયા (ઉ.વ. ૪પ) છેલ્લા ચાર-પાંચ દિવસથી ઘરની બહાર ન નીકળતા ગઇકાલે પાડોશીઓએ તેના ઘર પાસે જતા ઘરમાંથી દુર્ગંધ આવતી હોઇ, તેથી દરવાજો તોડીને અંદર જોતા વિપુલભાઇની કોહવાયેલી લાશ જોવા મળતાદ કોઇએ તાકીદે પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ. પી. એમ. અકવાલીયા તથા રાઇટર મહેશભાઇ કછોટ તાકીદે સ્થળ પર પહોંચી ગયા હતા અને તેના પરિવારજનોને જાણ કરતા મૃતક વિપુલભાઇના નાનાભાઇ દોડી આવ્યા હતા. મૃતક વિપુલભાઇ બે ભાઇમાં મોટા હતા તે અપરણીત હતા. ઘણા સમયથી એકલા રહેતા હતા. તેના નાનાભાઇના જણાવ્યા મુજબ તેને ઘણા સમયથી ડાયાબીટીસ અને બ્લડ પ્રેસરની બીમારી અને તે માનસીક બીમાર હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે મૃતક વિપુલભાઇના મૃત્યુ પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(3:34 pm IST)