Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ચાર્જ છોડતાં પહેલા મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે ઇજનેરોની બદલીનો ગંજીપો ચીપ્યો

વર્ષોથી એકજ જગ્યાએ રહેલા ૧૧ ઇજનેરોની સામુહીક બદલીનાં ઓર્ડરો

રાજકોટ તા. ર૩ :.. મ.ન.પા.નાં મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે ગઇકાલે તેઓનો ચાર્જ છોડતાં અગાઉ ૧૧ ઇજનેરોની સામૂહિક બદલીનો ગંજીપો ચીપ્યો હતો. શ્રી અગ્રવાલે વર્ષોથી એકજ જગ્યાએ રહેતા ડે. ઇજનેરોને અન્ય વિભાગોમાં બદલાવતાં ઓર્ડરો કર્યા હતાં.

આવાસ યોજના, બાંધકામ વિભાગ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગ, ડ્રેનેજ વિભાગ, વિજીલન્સ ટેકનીકલ વિભાગ, વોટર ફીલ્ટર પ્લાન્ટ, વગેરે વિભાગોનાં ડે. ઇજનેરો, વર્ક આસીસ્ટન્ટ વગેરેની બદલીઓ અન્ય વિભાગોમાં કરી હોવાનાં ઓર્ડરો કર્યા હતાં.

(4:13 pm IST)