Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ભાજપ દ્વારા કાલે મીસાવાસીઓનું સન્માન

ડો. શ્યામાપ્રસાદ બલિદાન દિવસ અને કટોકટી દિવસ નિમિતે આયોજન : ઘરે ઘરે જઇ શાલ ઓઢાડાશે

રાજકોટ તા. ૨૪ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અને કટોકટી દિવસ નિમિતે કાલે તા. ૨૫ ના મીસાવાસીઓ અને તેમના પરિવારજનોનું સન્માન કરાશે.

૧૯૭૫ માં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દીરા ગાંધીના કાર્યકાળમાં કટોકટી લદાઇ હતી અને જે કાળો કહેર વર્તાવવામાં આવ્યો હતો. એ દરમિયાન જેલવાસ ભોગવેલ મીસાવાસીઓને કાલે તેમના ઘરે જઇને શાલ ઓઢાડી સન્માનીત કરાશે.

મીસાવાસીઓ સર્વશ્રી વિજયભાઇ રૂપાણી, પ્રવિણભાઇ મણીઆર, ડો. પ્રફુલભાઇ દોશી, જનકભાઇ કોટક, જીતુભાઇ શાહ, હરગોવિંદભાઇ વ્યાસ, દર્શનાબેન પંડયા, ઠાકરશીભાઇ પટેલ, મનુભાઇ રાઠોડ, દિલુભા વાળા, વસંતભાઇ ખોખાણી, ધીરૂભાઇ ધામેલીયા, ચંદ્રકાન્તભાઇ મહેતા, વજુભાઇ વાળા, જીતેન્દ્રભાઇ જાની, મુકુંદભાઇ પંડીત, પ્રવિણભાઇ રૂપાણી, ભુપતભાઇ દવે, હસમુખભાઇ દવે, કેશુભાઇ પટેલ, જયોતિન્દ્રભાઇ મહેતા, પ્રભુદાસભાઇ ખાખરીયા, ડો. હસમુખભાઇ ધ્રુવ, હીતેશભાઇ પંડયા, વલ્લભભાઇ અકબરી, જગદીશભાઇ પંડયા, સુરેશભાઇ રાણપરા, ગીરીશભાઇ ભટ્ટ, અરવિંદભાઇ મણીઆર, યશવંતભાઇ ભટ્ટ, રમેશભાઇ શુકલ, ચીમનભાઇ શુકલ, કાંતીભાઇ વૈદ્ય, રાજુભાઇ શુકલ, ભાનુભાઇ શુકલ, લક્ષ્મીદાસ ગણાત્રા, હબીબભાઇ જુમાણી, પ્રાણલાલ દોશી, કાકુભાઇ નથવાણી, નરેન્દ્રભાઇ જાની, મુકેશભાઇ સોનપાલ, રમણીકભાઇ વૈદ્ય, ખોડીદાસભાઇ પટેલ, ધનજીભાઇ આંબાભાઇ, હરીભાઇ હીરાણી, ગોધુમલ આહુજા, કાંતિભાઇ ભટ્ટ સહીતના મીસાવાસીઓના ઘરે જઇ તેમનું સન્માન કરાશ.

ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ, કમલેશ મિરાણી, મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ઉદય કાનગડ, અંજલીબેન રૂપાણી, બીનાબેન આચાર્ય, ડો. પ્રદીપ ડવ, ભાનુબેન બાબરીયા, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, અનિલભાઇ પારેખ સહીતના અગ્રણપીઓ આ સન્માનામાં સાથે જોડાશે.

(4:28 pm IST)