Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

આટકોટના પ્રદ્યુમનભાઇવાળાનું બીમારીના લીધે રાજકોટમાં મોત

પડધરીના મંજુબેન સોલંકી બેભાન થયા બાદ રાજકોટમાં મોત

રાજકોટઃ ૨૪ જસવણના આટકોટમાં રહેતા પ્રૌઢનું બીમારીના કારણે તેને રાજકોટની હોસ્‍પિટલમાં ખસેડાયા બાદ તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયુંછે.
મળતી  ઁિવગત મુજબ આટકોટમાં રહેતા પ્રદ્યુમનભાઇ નટવરભાઇવાળા (ઉ.વ.૫૫)ને બીમારી સબબ સારવાર માટે રાજકોટની વોકહાર્ડ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. જયાં તેનું ગઇકાલે સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ.પીે.કે.કિヘયન તથા રાઇટર હસમુખભાઇએ પ્રાથમિક કાગળો કરી આટકોટ મોકલવા તજવીજ હાથધરી છે. બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.
જયારે બીજા બનાવમાં પડધરીમાં ફુલવાડીમાં રહેતા મંજુબેન ભગવાનજીભાઇ સોલંકી(ઉ.વ.૪૯) પોતાના ઘરે હતા ત્‍યારે એકાએક બેભાન થયા બાદ તેને સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં ગઇ કાલે તેનુ સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું આ બનાવ અંગે યૂનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્‍સ આઇ.પી.મોરવાડીયાએ કાર્યવાહી કરી હતી.

 

(10:58 am IST)