Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ભાજપ દ્વારા કાલે કટોકટી દિવસ નિમિતે મીસાવાસીઓનું સન્‍માન કરી ભાવવંદના કરાશે

રાજકોટ,તા. ૨૪: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયુ છે કે ડો.શ્‍યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ તેમજ તા.રપ- જૂન કટોકટી દિવસ ના સંયુકત ઉપક્રમે આવતીકાલે  શહેર ભાજપ દ્વારા ૧૯૭પ માં તત્‍કાલીન પ્રધાનમંત્રી ઈન્‍દીરા ગાંધીના કાર્યકાળ દરમ્‍યાન કટોકટી કાળ દરમ્‍યાન જેલવાસ ભોગવેલ મીસાવાસીઓનું  ઘરે જઈને સન્‍માન કરાશે.

આવતીકાલે કટોકટી દિવસ અંતર્ગત કટોકટી સમયના ભમીસાભ કાયદાના પીડિતોને સન્‍માનવાના ભાગરૂપે શહેર ભાજપ દ્વારા મીસાવાસીઓ સર્વેશ્રી વિજયભાઈ રૂપાણી, પ્રવીણભાઈ મણીયાર, ડો. પ્રફુલભાઈ દોશી,જનકભાઈ કોટક,  જીતુભાઈ શાહ,  હરગોવીંદભાઈ વ્‍યાસ, દર્શનાબેન પંડયા, ઠાકરશીભાઈ પટેલ, મનુભાઈ રાઠોડ, દિલુભા વાળા, વસંતભાઈ ખોખાણી, ધીરૂભાઈ ધામેલીયા, ચંદ્રકાંતભાઈ મહેતા, વજુભાઈ વાળા, જીતેન્‍દ્રભાઈ જાની, મુકુંદભાઈ પંડીત, પ્રવીણભાઈ રૂપાણી, ભુપતભાઈ દવે,  હસમુખભાઈ દવે, કેશુભાઈ પટેલ, જયોતીન્‍દ્રભાઈ મહેતા, પ્રભુદાસભાઈ ખાખરીયા, ડો. હસમુખભાઈ ધ્રુવ, હીતેશભાઈ પંડયા, વલ્લભભાઈ અકબરી, જગદીશભાઈ પંડયા, સુરેશભાઈ રાણપરા, ગીરીશભાઈ ભટ્ટ, અરવીંદભાઈ મણીયાર, યશવંતભાઈ ભટ્ટ, રમેશભાઈ શુકલ, ચીમનભાઈ શુકલ, કાંતીભાઈ વૈદ્ય, રાજુભાઈ શુકલ, ભાનુભાઈ શુકલ, લક્ષ્મીદાસ ગણાત્રા, હબીબભાઈ જુમાણી, પ્રાણલાલ દોશી, કાકુભાઈ નથવાણી, નરેન્‍દ્રભાઈ જાની, મુકેશભાઈ સોનપાલ, રમણીકભાઈ વૈદ્ય, ખોડીદાસભાઈ પટેલ, ધનજીભાઈ આંબાભાઈ, હરીભાઈ હીરાણી, ગોધુમલ આહુજા, કાંતીભાઈ ભટૃ સહીતના મીસાવાસીઓનું ઘરે જઈ સન્‍માન કરવામાં આવશે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રાજયના મંત્રી અરવીંદ રૈયાણી, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ, મોરચાના પ્રમુખ, ઉદય કાનગડ, મેયર ડો. પ્રદીપ ડવ, નિતીન ભારદ્વાજ, પુષ્‍કર પટેલ, રક્ષાબેન બોળીયા, ડો. દર્શીતાબેન શાહ, અતુલ પંડીત  સહીતના અગ્રણીઓ મીસાવાસીઓના ઘરે જઈ શાલ ઓઢાડી સન્‍માનીત કરશે.મીસાવાસીઓના સન્‍માનના કાર્યક્રમની વ્‍યવસ્‍થા શહેર ભાજપ કોષાઘ્‍યક્ષ અનિલભાઈ પારેખ સંભાળી રહયા છે.

(3:07 pm IST)