Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

રાજકોટમાં રવિવારે લોક-અદાલત યોજાશે વિવિધ પ્રકારના ૩૦ હજારથી વધુ કેસો મુકાશે

ઇ-મેમાના ૯૦ હજાર કેસોમાંથી ૧૫ હજાર કેસો મુકાશે

રાજકોટ, તા.૨૪: ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રજકોટ દ્વારા તા.૨૬-૬-૨૦૨૨ના રોજ રાજકોટ જીલ્લાની રાજકોટ જીલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવનાર છે.
સદર લોક-અદાલતમા દાખલ થયેલ તથા અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલાં (પ્રીલીટીગેશ) કેસો હાથ પર લેવામાં આવનાર છે. સદર લોક-દાલતમાં (૧) ફોજદારી સમાધાન લાયક કેસો, (ર) નેગોશીએબલ એકટની કલમ-૧૩૮ (૩) બેન્‍ક લેણાના કેસો (૪) મોટર અકસ્‍માત વળતરને લગતા કેસો (પ) લગ્નવિષયક કેસો (૬) મજુર અદાલતના કેસો (૭) જમીન સંપાદનને લગતા કેસો (૮) ઇલેકટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો (૯) રેવન્‍યુ કેસીસ (૧૦) દિવાની પ્રકારના કેસો (ભાડા, સુખાધિકારના કેસો, મનાઇ હુકમના દાવા, (કરાર પાલનના દાવા) (૧૦) અન્‍ય સમાધાન લાયક કેસો મુકવામાં આવનાર છે.
લોક અદાલત પહેલા લોક અદાલતની તૈયારીના ભાગરૂપે જુદી જુદી મીટીંગો યોજી, પ્રી-સીટીંગનું આયોજન કરી પક્ષકારોને સમાધાન અંગે નજીક લાવવા માટે લગભગ છેલ્લા ત્રણ મહીનાથી પ્રયત્‍ન કરવામાં આવી રહેલ છે જેના ભાગરૂપે તા.૨૬-૬-૨૦૨૨ના રોજ યોજાનાર લોક અદાલતમાં તમામ કેટેગરીના મળી કુલ ૩૦,૦૦૦ થી વધુ કેસો હાથ પર લેવામાંઆવનાર છે.
લોક-અદાલતમાં પક્ષકારો પોતાનો કેસ મુકી સમાધાનથી નિર્ણિત કરવામાં આવે તો બંને પક્ષકારોને લાભકર્તા છે, બંને પક્ષકારો વચ્‍ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે તથા કોઇનો વિજય નહી તેમ જ કોઇનો પરાજય નહી તેવી પરિસ્‍થિતી ઉદભવે છે એન તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે તથા વૈમનસ્‍યથી મુકત થવાય છે તેમજ પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી જેથી ભવિષ્‍યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે. જેથી આગામી તા.૨૬-૬-૨૦૨૨ના રોજ યોજાનાર લોક-અદાલતમાં તમામ પક્ષકારોને સક્રીય ભાગ લેવા વિનંતી છે. વધુમાં નવેમ્‍બર -૨૧ થી અત્‍યાર સુધીમાં ઇ-મેમાના ૯૦ હજારથી વધુ કેસો થયો છે. જેમાંથી ૧૫ હજાર જેટલા કેસો પ્રિ-લીટીગેશન તરીકે મુકાયેલ છે.

 

(3:11 pm IST)