Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

રાજકોટ શહેર અને ગ્રામ્યના ૪ મળી ૨૨ પીએસઆઇની બદલી

પીએસઆઇ એસ. વી. સાખરાને સુરત, એ. એસ. સોનારાને અમદાવાદ, આર. એલ. ખટાણાને ભરૂચ અને અ. એમ. ઠાકોરને ડીજીપી કચેરીમાં મુકાયા

રાજકોટ તા. ૨૪: રાજ્યના ૨૨ બિન હથિયારી પીએસઆઇની બદલીના ઓર્ડર નીકળ્યા છે. જેમાં રાજકોટ શહેરના ત્રણ અને ગ્રામ્યના એક પીએસઆઇનો સમાવેશ થયા છે.

રાજકોટ તા. ૨૪: રાજ્યના અલગ અલગ શહેરોના ૨૨ બિન હથીયારધારી પીએસઆઈની બદલીના ઓર્ડર નીકળ્યા છે. જેમાં રાજકોટ  શહેરના ત્રણ અને ગ્રામ્યના એક પીએસઆઇનો સમાવેશ થયા છે.

જેમની બદલીના ઓર્ડર નીકળ્યા છે તેમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એસ. વી. સાખરાની સુરત, એસઓજી પીએસઆઇ અતુલ એસ. સોનારાની અમદાવાદ ખાતે કરવામાં આવી છે. તેમજ પીએસઆઇ આર. એલ. ખટાણાની ભરૂચ ખાતે બદલી થઇ છે. જ્યારે રાજકોટ ગ્રામ્યના એ. એમ. ઠાકોર તથા અન્ય બદલીઓમાં સુરેન્દ્રનગરના ડી. બી. ચોૈહાણ, પોરબંદરના એ. એન. ગઢવી, ગીર સોમનાથના એસ. આઇ. મંધરા તથા ગાંધીધામ, આણંદ, અમદાવાદ, મહેસાણા, સુરત, વલસાડ, વડોદરા રેલ્વે, આહવા ડાંગના પીએસઆઇનો સમાવેશ થાય છે.

(1:13 pm IST)