Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

મ.ન.પા. દ્વારા વેપારીઓ માટે કાલે ૩૧ સ્થળે વેકસીન કેમ્પ

રાજય સરકારના આયોજન મુજબ આવતીકાલે મ.ન.પા. દ્વારા વાણીજય એકમો સાથે સંકળાયેલા લોકોનું થશે રસીકરણઃ રસીકરણ કરાવી લેવા મેયર-મ્યુ.કમિશ્નરની અપીલ

રાજકોટ, તા., ૨૪: રાજય સરકારે વેપારીઓ તથા વાણીજય એકમોના કર્મચારીઓ માટે આવતીકાલે રવિવારે રાજયભરમાં ખાસ વેકસીનેશન કેમ્પ યોજવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત મ.ન.પા.ના આરોગ્ય તંત્ર દ્વારા આવતીકાલે તા. રપને રવિવારે શહેરમાં ૩૧ સ્થળોએ વેપારીઓ માટે ખાસ રસીકરણ કેમ્પનું આયોજન કરાયું છે.

 આ અંગે મ.ન.પા.ની યાદીમાં જણાવાયું છે કે રાજકોટ શહેરમાં ચાલી રહેલ વેકસીનેસન અંતર્ગત કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રી દ્વારા વખતોવખત જાહેર થતા સૂચના અને માર્ગદર્શિકા મુજબ વાણિજ્યિક એકમો સાથે સંકળાયેલા લોકો માટે  આવતીકાલ તા. ૨૫ જુલાઇ ના રોજ  શહેરમાં નીચે મુજબની ૩૧ સેસન સાઈટ પર કોવીશીલ્ડ રસી આપવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે.      સરકારશ્રીની સૂચના અનુસાર વ્યાપારિક એકમો સાથે સંકળાયેલા લોકોએ તા. ૩૧ જુલાઇ  સુધીમાં રસી લઈ લેવાની રહે છે, અન્યથા આવા વાણિજ્યિક એકમો ચાલુ રાખી શકાશે નહી.    આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે સેસન સાઈટ ખાતે કોવીશીલ્ડ રસી આપવામાં આવશે તેમાં...

 ૧) સિવિલ હોસ્પિટલ   ૨)  પદ્મકુંવરબા હોસ્પિટલ  ૩) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર  ૪)ચાણક્ય સ્કુલ – ગીત ગુર્જરી સોસાયટી  ૫) નંદનવન આરોગ્ય કેન્દ્ર  ૬)શિવશકિત સ્કુલ  ૭) નાનામવા આરોગ્ય કેન્દ્ર  ૮)મવડી આરોગ્ય કેન્દ્ર  ૯) શાળા નં. ૮૪, મવડી ગામ  ૧૦) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર  ૧૧) શાળા નં. ૨૮, વિજય પ્લોટ  ૧૨) સિટી સિવિક સેન્ટર – અમીન માર્ગ  ૧૩)સદર આરોગ્ય કેન્દ્ર  ૧૪) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર  ૧૫) શેઠ હાઈસ્કુલ  ૧૬)રામનાથપરા આરોગ્ય કેન્દ્ર ૧૭) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર  ૧૮) શાળા નં. ૬૧, હુડકો  ૧૯) શાળા નં. ૨૦ બી, નારાયણનગર ૨૦)જંકશન આરોગ્ય કેન્દ્ર  ૨૧) માધાપર આરોગ્ય કેન્દ્ર  ૨૨) રેલ્વે હોસ્પિટલ  ૨૩) મોરબી રોડ, કોમ્યુનીટી હોલ  ૨૪) ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર  ૨૫)આદિત્ય સ્કુલ – ૩૨ (IMA આરોગ્ય કેન્દ્ર)  ૨૬)       કબીરવન આરોગ્ય કેન્દ્ર  ૨૭) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર  ૨૮) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર  ૨૯)    પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર  ૩૦) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર  ૩૧) તાલુકા શાળા ભવન નો સમાવેશ થાય છે.    

 શહેરના તમામ વાણિજ્યિક એકમો સાથે જોડાયેલા લાભાર્થીઓ આવતીકાલે તા. ૨૫-૭-૨૦૨૧ ના રોજ  ઉપરોકત સ્થળોએ અચૂક વેકસીન લઈ લ્યે તેવી રાજકોટ મહાનગરપાલિકા ના ઉપક્રમે મેયર પ્રદિપ ડવ ત્થા મ્યુ. કમિશ્નર અમિત અરોરા દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે.

(3:35 pm IST)