Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ત્રણ દિવસથી ગૂમ થયેલા ટંકારાના અજયની લાશ કૂવામાંથી મળી

રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમઃ આપઘાત કર્યો કે અન્‍ય કંઇ બન્‍યું? તે અંગે તપાસ

રાજકોટ તા. ૨૪: ટંકારામાં ઉગમણા નાકે રહેતો અજય નિતીનભાઇ વાઘેલા (વણકર) (ઉ.વ.૨૦) ત્રણ દિવસ પહેલા ઘરેથી બાર જવાનું કહીને નીકળ્‍યા બાદ પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ગઇકાલે તેની લાશ ટંકારા ગામની નદી પાસેના કૂવામાંથી ફુલાઇ ગયેલી હાલતમાં મળી આવતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. મૃત્‍યુ પામનાર અજય બે ભાઇમાં મોટો અને અપરિણીત હતો. તે છુટક મજૂરી કરતો હતો. અજયએ કોઇ કારણોસર આપઘાત કર્યો કે અન્‍ય કોઇ રીતે મોત થયું? તે જાણવા પોલીસે મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો છે. યુવાન દિકરાના મોતથી પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો.

(11:52 am IST)