Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

૪૫૦ કિ.મી. દુરથી ગૌમાતાને લાવીને દ્વારકાધીશ ભગવાનને પરિક્રમા કરાવી

 દ્વારકા :  કચ્છ  થી દ્વારકા જગત મંદિર  સુધી કૃષ્ણ ભગવાનને વહાલી ૨૫ ગાય માતા એ ૪૫૦ કી.મી.ની યાત્રા કરીને  કાળિયા ઠાકરની પરિક્રમા કરી હતી. યાત્રાધામ દ્વારકામાં ગત રાત્રે કરછ વિસ્તારનાં મહાદેવ ભાઈ દેસાઈ એ  લંપી રોગ માં પોતાની કોઈ ગાયનું મૃત્યુ ન થાય તો ગાયોને લઇને દ્વારકા પદયાત્રા કરવાની માનતા રાખી હતી દરમ્યાન  મહાદેવ ભાઈ અને તેમના ૫ ગો સેવકો પોતાની ૨૫ ગાયોને લઇ  કરછ થી દ્વારકા સુધી ગાયોને લઇને ચાલી ને આવ્યા હતા  લગભગ૪૫૦ કિલો મીટર  ચાલી  ભગવાન દ્વારકાધીશનાં ચરણે   ગાય માતાઓ પહોંચી હતી. રાત્રિનાં સ્પેશિયલ તંત્રની  મંજુરી થી  ૨૫ ગૌમાતા  અને મહાદેવ ભાઈ સાથે ૫ ગૌ સેવકો એ જગત મંદિરની પરિક્રમા કરી દર્શન કર્યા હતા.

(3:44 pm IST)