Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

રાણાવાવના પ્રદિપભાઇ બાપોદરાનું ટ્રેકટર પલ્‍ટી ખાઇ જવાને લીધે મોત

રાજકોટ તા. ૨૫: પોરબંદરના રાણાવાવમાં રહેતાં યુવાનનું ટ્રેકટર પલ્‍ટી જતાં ઇજા થવાથી સારવાર દરમિયાન મોત નિપજ્‍યું છે.

રાણાવાવ રહેતાં પ્રદિપભાઇ રામભાઇ બાપોદરા (ઉ.વ.૪૨) નામના યુવાનને તે ૨૧મીએ ટ્રેકટર હંકારીને જતી વખતે વાડી પાસે વળાંકમાં ટ્રેકટર પલ્‍ટી મારી જતાં ગંભીર ઇજાઓ થતાં પોરબંદર સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. ગાંધીગ્રામ પોલીસે પ્રાથમિક કાર્યાવહી કરી રાણાવાવ પોલીસને જાણ કરી હતી.

(11:26 am IST)