Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી મનિષ ચાંગેલાનો આજે જન્‍મદિન

રાજકોટ : પાટીદાર સમાજના વડીલો અને ભાજપના વરિષ્‍ઠ નેતૃત્‍વના માર્ગદર્શન હેઠળ સંગઠનની અભૂતપૂર્વ કુનેહ સિદ્ધ હસ્‍ત કરનારા રાજકોટ જીલ્લા ભાજપના મહામંત્રી શ્રી ઉમિયા માતાજી સંસ્‍થાન - રાજકોટ (ઉમિયાધામ)ની સંગઠન સમિતિના અધ્‍યક્ષ અને શ્રી પટેલ સેવા સમાજના ટ્રસ્‍ટી શ્રી મનીષભાઈ ચાંગેલા આજે જીવનના ૫૩માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.ભાજપ સંગઠનમાં વિભિન્‍ન ઉતર દાયિત્‍વને તેમણે સફળતાથી સંભાળ્‍યા છે. રાજકોટ જીલ્લા ભાજપના મીડીયા ઈન્‍ચાર્જ, ધોરાજી - ઉપલેટા બેઠકના ચૂંટણીના ઈન્‍ચાર્જ, ઉપલેટા - શહેર તાલુકાના પ્રભારી, ધોરાજી - ઉપલેટા ધારાસભા મતવિસ્‍તારમાં સંગઠનાત્‍મક જવાબદારી, રાજકોટ જીલ્લા ભાજપના કોષાધ્‍યક્ષ, ગુજરાત પ્રદેશ ભાજપ મીડીયા સેલના સદસ્‍ય, જસદણ - વિંછીયા અને મોરબી - માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં સક્રિયતા સાથે તેમણે કરેલી કામગીરીની નોંધ ભાજપના મોવડી મંડળે હંમેશા લીધી છે. અત્‍યારે તેઓ રાજકોટ જીલ્લા ભાજપના મહામંત્રી તરીકે ભાજપના સંગઠનને ગ્રામ્‍ય સ્‍તર સુધી સાથે કાર્ય કરી રહ્યા છે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી ગુજરાતમાં મુખ્‍યમંત્રી હતા. ત્‍યારે યોજેલી ‘સ્‍વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા'ની સફળતામાં પણ નોંધપાત્ર યોગદાન આપ્‍યુ હતું.રાજકોટમાં શ્રી ઉમિયા માતાજી સંસ્‍થાન- રાજકોટ (ઉમિયાધામ), શ્રી પટેલ સેવા સમાજ (સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ) તથા શ્રી પટેલ પ્રગતિ મંડળ (ફિલ્‍ડ માર્શલ વાડી) દ્વારા આયોજીત વિધવા સહાય માર્ગદર્શન શિબિર, ઔદ્યોગિક સેમીનાર, મા - અમૃતમ કાર્ડ કેમ્‍પ, બિન અનામત આયોગ સહાય માર્ગદર્શન કેમ્‍પ, કોવિડ ટેસ્‍ટીંગ કેમ્‍પ અને કોવિડ વેકસીનેશન કેમ્‍પ જેવા કાર્યક્રમોમાં કામગીરી કરી છે.

અમદાવાદમાં રૂા.૧૫૦૦ કરોડના ખર્ચે વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન દ્વારા નિર્માણ થનારા સમાજ સંકુલની કામગીરી અને ઉમિયાધામ - ઉંઝા સંચાલિત અમદાવાદ ઉમિયા કેમ્‍પસ સોલા ખાતેના રૂા.૩૫૨ કરોડના વિકાસ પ્રોજેકટમાં તેમનું સક્રિય યોગદાન રહ્યુ છે.

મનીષભાઈ ચાંગેલાને જન્‍મદિનની મો.૯૮૨૫૨ ૯૫૧૩૩ / ૯૭૧૨૯ ૯૫૧૩૩ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(3:42 pm IST)