Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

સૃષ્ટિના સર્જનહાર ભગવાન શ્રી વિશ્વકર્મા પ્રભુની જન્મ જયંતિની ભાવસભર ઉવજવણી

રાજકોટ : સમગ્ર સૃષ્ટિના સર્જનહાર મનાતા દાદા વિશ્વકર્મા પ્રભુની આજે જન્મ જયંતિ હોય રાજકોટમાં આવેલ જુની ખડપીઠ ખાતેના શ્રી વિશ્વકર્માજી મંદિરે આજે સવારથી જ દર્શનાર્થીઓ ઉમટી પડયા હતા. સરકારી ગાઇડ લાઇનને અનુસરી આરતી દર્શનન કાર્યક્રમો ખુલ્લા મુકાયા હતા. રાષ્ટ્રીય શાળા સામે આવેલ લુહાર વિદ્યાર્થી ભવન ખાતે પણ આજે સવારે પૂજા અર્ચના કરવામાં આવી હતી. રાજકોટની ભાગોળે કુવાડવા વાંકાનેર હાઇવે પર સણોસરા ખાતે આવેલ શ્રી વિશ્વકર્મા યાત્રાધામ ખાતે પણ આજે સવારે ધ્વજારોહણ બાદ હવન અને બપોરે પ્રસાદના પેકેટનું વિતરણ કરાયુ હતુ.  ભગવાન વિશ્વકર્માજી લુહાર, સુતાર, કડીયા, કુંભાર સહીતના કલાકારીગરી વર્ગના અધિષ્ઠાતા દેવ મનાય છે. એટલે કલાકારીગર વર્ગના લોકોએ ઘરે ઘરે કે ધંધા વ્યવસાયના સ્થળે પણ શ્રી વિશ્વકર્માજીની પુજા અર્ચના કરી હતી. તસ્વીરમાં રાજકોટના જુની ખડપીઠ ખાતેના મંદિરે ઉમટેલ દર્શનાર્થીઓ જોવા મળે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:13 pm IST)