Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

બેભાન હાલતમાં બે મોત

કિંજલ પાર્કના જાગૃતિબેન ભાલારા અને કર્મચારી સોસાયટીના નરેન્‍દ્રભાઇ વરસડાએ દમ તોડયો

રાજકોટ તા. ૨૫: કુવાડવા રોડ પર કિંજલ પાર્કમાં રહેતાં જાગૃતીબેન ભરતભાઇ ભાલારા (ઉ.૪૦) કેન્‍સર અને બ્રેઇન ટયુમરની બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. જાગૃતિબેનને સંતાનમાં એક પુત્ર છે. પતિ ઇલેક્‍ટ્રીશીયન છે.

બીજા બનાવમાં પુનિતનગર સામે કર્મચારી સોસાયટી-૬માં રહેતાં નરેન્‍દ્રભાઇ પ્રભુભાઇ વરસડા (ઉ.૩૫)ને કેન્‍સરની બિમારી હોઇ રાતે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર અમુલ ઇન્‍ડસ્‍ટ્રીમાં નોકરી કરતાં હતાં. તેઓ બે બહેનના એકના એક નાના ભાઇ હતાં.

(1:19 pm IST)