Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

આપ દ્વારા રાજકોટમાં આજે પરિવર્તન યાત્રા નીકળી

આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં પરિવર્તન યાત્રા નિકળેલ છે. જેના ભાગરૂપે આજરોજ વિધાનસભા-૬૮ ના વિસ્‍તારમાં સવારે રામનાથ મહાદેવની પૂજા અર્ચના કરી પ્રારંભ થયેલ. મયુર નગર, કનક નગર, સાગર ચોક, દુધ સાગર મેઇન રોડ, હૈદરી ચોક, ચુનારાવાડ ચોક, થોરાળા મેઇન રોડ, હોંડાઇ શોરૂમ, સોરઠીયા વાડી ચોક, કેવડાવાડી રોડ, કેનાલ રોડ, પેલેસ રોડ, ભુપેન્‍દ્ર રોડથી ત્રિકોણબાગ ખાતે પૂર્ણ થયેલ. તેમજ બપોરે રણછોડદાસ બાપુ આશ્રમે પૂજા અર્ચના કરી કુવાડવા રોડ, ભાવનગર રોડ, પેડક રોડ, સંતકબીર રોડ અને મોરબી જકાતનાકા રોડ વગેરે વિસ્‍તારમાં ફરી રણછોડદાસ બાપુ આશ્રમે પૂર્ણ કરેલ. આ પરિવર્તન યાત્રામાં આપ-નેતા ઇસુદાનભાઇ ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઇ લોખીલ, રાજભા ઝાલા, રાજકોટ શહેર અધ્‍યક્ષ શિવલાલ પટેલ, જિલ્લા અધ્‍યક્ષ તેજસભાઇ ગાજીપરા તેમજ આપ કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા તેમજ કોમલબેન ભારાઇ હાજર રહી લોકોના અભિવાદન લીધેલ. આ કાર્યક્રમ સફળ બનાવવા શહેર સંગઠન મહામંત્રી રાહુલભાઇ ભુવા, શહેર મહામંત્રી સંજયસિંહ વાઘેલા, કે. કે. પરમાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી. આ યાત્રા ઇનચાર્જ તરીકે સવારે અશોકભાઇ મકવાણા તેમજ જયદિપભાઇ નિમ્‍બાર્ક, તેમજ બપોરની યાત્રા માટે મુન્‍નાભાઇ ગઢવી તેમજ હાર્દિકભાઇ રાબડીયા એ જહેમત ઉઠાવી હતી.

(4:44 pm IST)