Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

તારીખ પે તારીખ : ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલ રાજકીય પ્રવેશ અંગે 31મીએ ફાઇનલ નિર્ણય જાહેર કરશે

નરેશભાઈ પટેલના રાજકીય પ્રવેશને લઈને ચાલતી અટકળ અકબંધ : વધુ એકવાર તારીખ પડી

રાજકોટ : ગુજરાતના રાજકારણમાં છેલ્લાં કેટલાંય સમયથી ખોડલધામના ચેરમેન નરેશભાઈ  પટેલના રાજકીય પ્રવેશને લઇને ચાલતી અટકળોનો આજે અંત આવે તેવી શકયતા પર પાણી ફરી વળ્યું છે, આજે નરેશભાઈ પટેલ રાજકીય પ્રવેશને લઇને મોટી જાહેરાત કરી શકે તેવી ધારણા હતી પરંતુ હવે નરેશભાઈ તેના રાજકીય પ્રવેશ અંગે આગામી 31મીએ જાહેરાત કરશે નરેશભાઈ પટેલે આજે મીડિયાને  આમંત્રિત કર્યું હતું , મીડિયાને આમંત્રિત કરાતા નરેશભાઈ  પટેલ રાજકીય પ્રવેશને લઇને જાહેરાત કરશે તેવી અટકળો તેજ થઇ ગઇ હતી જોકે હવે તેઓ આગામી 31મીએ ફાઇનલ જાહેરાત કરશે

(10:07 pm IST)