Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

કોરોનાનું સંક્રમણ ઘટતા હવે પરીક્ષા શરૂ થશે

૮ જુલાઇથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓફ લાઇન પરીક્ષાઃ ૬પ હજાર પરીક્ષાર્થીઓ

રાજકોટ, તા., ૨૪: કોરોનું સંક્રમણ દિન પ્રતિદિન ઘટતા હવે બાકી રહી ગયેલી પરીક્ષા ગોઠવવા તૈયારીઓ શરૂ થઇ રહી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી ૮ જુલાઇથી ઓફ લાઇન પરીક્ષાની સંભવીત તારીખ જાહેર કરવામાં આવી છે.

જાણવા મળતી વિગત મુજબ કોરોનાને કારણે મુલત્વી રહેલી કેટલીક અગત્યની પરીક્ષા ગોઠવવા કાર્યવાહી શરૂ થઇ છે. ગત સીન્ડીકેટની બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે ઓનલાઇન ઓફલાઇન પરીક્ષા માટે તૈયારી કરી હોવાનો દાવો કર્યો હતો. આજે નિયમ મુજબ ૧પ દિવસ પહેલા પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.

(4:27 pm IST)