Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

બાર એસો.ના પૂર્વ પ્રમુખ એડવોકેટ -નોટરી સંજયભાઇ વ્યાસે વકીલાત ક્ષેત્રે ૩૫ વર્ષ પૂરા કર્યા

રાજકોટ,તા. ૨૫: રાજકોટ બાર એશોસીએસનના પુર્વ પ્રમુખ, સંજયભાઈ વ્યાસ – એડવોકેટ– નોટરી આજ રોજ વકીલાતના ક્ષેત્રમાં ૩૬ વર્ષની મંજીલ કાપી ૩૭ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે.

સંજયભાઈ વ્યાસ જામનગર જીલ્લાના ઓખા મુકામે પ્રાથમીક અભ્યાસ બાદ કોલેજ કાળનો અભ્યાસ રાજકોટમાં પુર્ણ કર્યા બાદ ૧૯૮પ થી રાજકોટ બાર એશોસીએસનના સભ્ય તરીકે વકીલાતની કારર્કીદી શરૂ કરેલ અને રાજકોટ બારમાં ર૦૧૬ સુધીમા ૧૭ વખત ચુટાઈ આવીને કારોબારી સભ્ય,ખજાનચી,જો.સેક્રેટરી,ઉપ પ્રમુખ,સેક્રેટરી તથા ર૦૧૦ માં પ્રમુખ તરીકેની જવાબદારી નીભાવેલ અને સફળ રીતે અનેક પ્રોગ્રામો આપેલ,વકીલોના ચાલતા રાજકોટ બાર એશો. એડવોકેટ વેલફેર ફંડના ખજાનચી તરીકે સફળ કામગીરી બજાવેલ છે.

સંજયભાઈ વ્યાસ સને ર૦૧૬ મા રાજકોટ બાર એશોસીએશનના ઈલેકશનમા બાર એશોસીએશનના ઈતીહાસમાં સૌથી વધુ જંગી મતની લીડ થી પ્રમુખ તરીકે વિજેતા થયેલ અને તેઓની પેનલ ને પણ જંગી બહુમતીથી ચુટી કઢાવેલ તેઓએ પ્રમુખ તરીકે સને ર૦૧૬ માં રાજકોટ મુકામે હેમુ ગઢવી હોલમા તારીખ–૧/૦પ/ર૦૧૬ ના રોજ સમગ્ર ગુજરાતના વકીલો માટે જુદાજુદા કાયદાકીય વિષયો ઉપર લીગલ સેમીનારનુ સફળ આયોજન કરેલ

સંજયભાઈ વ્યાસ ભારતીય જનતા પક્ષના કાર્યકર તરીકે હાલના વોર્ડ નં. ૩ જુના વોર્ડ નં. ૧૮ તથા ૧૩ માં કોર્પોરેશન,ધારાસભા,લોકસભા વિગેરેની ચુટણીમાં ચુટણી ઈન્ચાર્જ તરીકે તથા વોર્ડમાં વોર્ડ ઈન્ચાર્જ તરીકે તથા યુવા મોરચામાં ઉતરઝોન ઈન્ચાર્જ તરીકે સફળતા પૂર્વક ફરજ બજાવી ચુકેલ છે. રાજકોટ શહેર ભાજપમાં ઈલેકશન લીગલ શેલમાં સહકન્વીનર તથા સોશીયલ મીડીયા ઈન્ચાર્જ તરીકેની પણ ફરજ બજાવેલ.

સંજયભાઈ વ્યાસ ઔદિચ્ય બ્રાહ્રમણ ખરેડી સમવાય જ્ઞાતિ મંડળ રાજકોટ માં ચાર વર્ષ સુધી સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવેલ છે.

સંજયભાઈ વ્યાસે એ– નેગેટીવ બ્લડ કે જે જુજ વ્યકિતઓને હોય છે તે બ્લડ ગ્રુપ ધરાવતા હોઈ અત્યાર સુધીમા પ૯ વાર બ્લડ ડોનેટ કરી જરૂરીયાત મંદ લોકોને તથા બ્લડ બેન્કોમા બ્લડ ડોનેટ કરેલ છે.

સંજયભાઈ વ્યાસે ૩૬ વર્ષમા તેઓને વકીલાત ક્ષેત્રમાં મદદરૂપ થનાર તમામ અસીલો, મીત્રજનો, સાથી એડવોકેટશ્રી ઓ,કંપનીઓના અધિકારીશ્રીઓ વિગેરે તમામનો આ તકે સહહૃદય આભાર વ્યકત કરેલ છે. સંજય વ્યાસ પુત્રના પ્રતિક વ્યાસ પણ ૨૦૧૬થી એડવોકેટ છે.

સંજયભાઈ વ્યાસ તેઓના મીલનસાર સ્વભાવથી વકીલોમાં તથા મીત્ર વર્તુળમાં 'ચાકુ' ના હુલામણા નામે પ્રસિઘ્ધ છે. આજરોજ તેઓએ રાજકોટમા તેમજ સૌરાષ્ટ્રના જુદા જુદા સેન્ટરોમા સીવીલ,રેલ્વે,ક્રિમીનલ,લેબર,એમ. એ. સી.પી. વિગેરે ક્ષેત્રોમા બેદાગ રીતે વકીલાત કરી પુરા ગુજરાતમા અનેક વકીલ મીત્રો બનાવેલ છે તેઓને આજ રોજ વકીલ જગતમાંથી તથાસગા સંબધીઓ તથા મીત્ર વર્તુળ તરફથી તેઓને વકીલાત ક્ષેત્રે ૩૬ વર્ષ પુર્ણ કરી ૩૭ માં વર્ષમા વકીલાત ક્ષેત્રે પ્રવેશ કરેલ હોઈ તેમના મોબાઈલ નં. ૯૪ર૭ર ર૧૯૯૭ ઉપર શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

(11:47 am IST)