Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

વેકસીનના ૧૧ હજાર ડોઝ છે : રસીકરણ નહી અટકેઃ નવો જથ્થો આવી જશે પ્રદિપ ડવ - પુષ્કર પટેલ

લોકોને સરળ અને ઝડપી રસીકરણ માટેનું આયોજન કરવા મેયર સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેનની મથામણ

રાજકોટ : શહેરમાં રસીકરણ કેન્દ્રો પર વેકસીનના ડોઝની અછત સંદર્ભે મેયર પ્રદિપ ડવ તથા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ. હૈયાધારણા આપી છે કે આજે મ.ન.પા. પાસે ૬૫૦૦ કોવિશીલ્ડ અને ૫૦૦૦ કો-વેકસીનના ડોઝ મળી ૧૧ હજાર ડોઝ છે જ એટલે કાલે સવાર સુધી વાંધો નથી. આ દરમિયાન રાત સુધીમાં વેકસીનનો વધુ જથ્થો આવી જશે માટે રસીકરણ અટકી જાય તેવા કોઇ સંજોગો ઉભા નહી થાય.

(4:07 pm IST)