Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

રાજકોટ વિભાગ રેલ્વે કોલોની જંતુમુકત -ચોખ્ખી ચણાંક કરાઇ : કોરોના જન જાગૃતિનાં પોસ્ટરો લગાવાયા

રાજકોટ :'સ્વચ્છતા પખવાડા' અંતર્ગત રાજકોટ વિભાગની તમામ રેલ્વે કોલોનીમાં મેડિકલ વિભાગ દ્વારા મોટા પાયે સફાઇ અને સેનિટાઈઝેશનની કામગીરી કરવામાં આવી છે. રાજકોટ વિભાગના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર ચેપને લીધે થતાં રોગોના ફેલાવાને રોકવા માટે રેલ્વે દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે. ઓખા, મીઠાપુર, દ્વારકા, ખંભાળીયા, હાપા, જામનગર, રાજકોટ, મોરબી, વાંકાનેર, થેન્હ, સુરેન્દ્રનગર સહિતના વિભાગની તમામ રેલ્વે કોલોનીમાં તબીબી વિભાગના આરોગ્ય નિરીક્ષક અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા આરોગ્ય સ્વચ્છતા હાથ ધરવામાં આવી છે. મચ્છરોને મારવા માટે, ફોગિંગ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સ્થિર પાણીમાં ખીલતા મચ્છરોના લાર્વાનો નાશ કરવા માટે એન્ટિ લાર્વા સ્પ્રે કરવામાં આવી રહ્યું છે. ખુલ્લા ગટરને સાફ કરવામાં આવ્યા છે. ઝાડ કાપવામાં આવી છે જેથી પાણી સરળતાથી વહી શકે. જયાં વરસાદનું પાણી એકઠું થઈ ગયું છે, દવા છાંટવામાં આવી છે. હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને મેડિકલ વિભાગ દ્વારા રેલ્વેમેન અને તેમના પરિવારોને કોરોના ટાળવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. કોલોનીમાં રોગોને લગતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને પેમ્પલેટનું વિતરણ પણ કરાયું છે.

(4:09 pm IST)