Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

સ્વયંભૂ શ્રી રામનાથ દાદાના સાંનિધ્યમાં કાલે શ્રી સત્યનારાયણ કથાઃ પૂ.મીરાબેન ભટ્ટ કથાનું રસપાન કરાવશે

રાજકોટઃ શહેરમાં આજીનદી વચ્ચે બિરાજતાં ગ્રામ્યદેવતા સ્વયંભૂ શ્રી રામનાથ દાદાના સાંનિધ્યમાં કાલે તા.૨૬ને રવિવારે સાંજે ૬ થી રાત્રે ૧૦:૩૦ સુધી સત્યનારાયણ ભગવાનની સંગીતમય કથાનું આયોજન થયેલ છે. વ્યાસપીઠ ઉપર કથાકાર શ્રીમીરાબેન ભટ્ટ (ભાગવત, દેવીભાગવત અને શિવપુરાણ વકતા) બિરાજશે.

શાસ્ત્રમાં લખ્યુ છે કે કોઇપણ તીર્થમાં કરેલુ સતકર્મનું ફળ સહસ્ત્રગણુ પ્રાપ્ત થાય છે. એ ન્યાયે રામનાથ દાદાએ રાજકોટનું તીર્થ ગણાય અને તેમના સાંનિધ્યમાં કરવામાં આવેલ આ કથા સહસ્ત્રગણુ પુણ્ય કથા વાંચનાર અને શ્રોતાને પ્રાપ્ત થાય છે. તો ભાવિક ભકતોએ કથા શ્રવણ કરવા અને પિતૃમાસમાં અલભ્ય લાભ લેવા મંદિરના મહંત શાંતિગીરી બાપુ મો.૯૪૨૬૪ ૮૪૦૯૭ ની યાદીમાં જણાવાયું છે.

(12:56 pm IST)