Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

રાજકોટના દંતવૈદ્ય ડો. જયસુખ મકવાણાના ધર્મપત્નિ ઉષાબેનની સ્વીડનમાં સારવાર : તબીયત સુધારા પર

રાજકોટ : જાણીતા દંતવૈદ્ય ડો. જયસુખ મકવાણાના ધર્મપત્નિી ઉષાબેન મકવાણા કેરોલિસ્કા હોસ્પિટલ સ્ટોકહોમ, સ્વીડન ખાતે સારવાર લઇ રહ્યા છે. જયાં આજે ૧૭ માં દિવસે તેમની તબીયત સુધારા પર હોવાનું ડો. મકવાણાએ એક યાદીમાં જણાવેલ છે. ભારતની એલચી કચેરીના બે અધિકારીઓ સુરેશકુમાર કોન્સિલર એન્ડ કલ્ચર તેમજ અનુરાધા નેગીએ તેમની રૂબરૂ મુલાકાત લઇ તબીયતની પુછા કરી હતી. જે બદલ તેમનો તેમજ સહયોગી બનનાર ઇન્ડિયન એમ્બેસીના તન્મયલાલજી, અનનિતા શુકલાજી, સુરેશકુમારજી અને અનુરાધાજી તેમજ ભારતના ઇન્દ્રનીલજી, કૌશિકભાઇ, જલ્પાબેન પટેલ, પ્રિયંકા અને કૃણાલ કારીયા (રાજકોટ), રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વીડન સ્ટોકહોમના કાર્યવાહ વૈભવ જપે, વીણાબેન જપે, ચંદ્રકાન્ત શુકલજી, રામજી વૈદ્ય, જીજ્ઞેશ પંચાલ, જયશીલ, ચિરાગ ઠાકર અને અન્ય મદદરૂપ બનનાર તમામનો ડો. જયસુખ આર. મકવાણાએ આભાર વ્યકત કર્યો છે.

(2:56 pm IST)