Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

રાજકોટ બાર એસો.ની આગામી ચૂંટણી બકુલ રાજાણી લડશેઃ સીનીયર-જૂનિયર વકીલોનો અભૂતપુર્વ ટેકો

‘અકિલા' ની શુભેચ્‍છા મુલાકાતમાં વકીલોના પ્રશ્ને કામગીરી કરવા ખાત્રી આપી

રાજકોટ તા. રપ :.. રાજકોટ બાર એસો.ની આગામી ૧૬ ડીસેમ્‍બરે યોજાનાર ચૂંટણીમાં બકુલભાઇ રાજાણીએ ઉમેદવારી નોંધાવવાનું જાહેર કરેલ છે. તેઓ પ્રમુખપદ માટે ચૂંટણી લડનાર છે.

એક બાજુ વિધાનસભાની ચૂંટણી ધમધમે છે. અને બીજી બાજુ રાજકોટ બાર એસો. ની ચૂંટણી જાહેર થયેલ છે. ત્‍યારે વકીલ મંડળમાં પણ ધમધમાટ શરૂ થયો છે.

બાર એસો.ની આ વખતની ચૂંટણીમાં કેટલાંક સિનીયર વકીલો દ્વારા ચૂંટણી સિલેકશન દ્વારા કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. જયારે કેટલાંક વકીલો આ મુદ્‌્‌ે નારાજ છે. તેઓ એમ જણાવે છે. દરેક વકીલો ચૂંટણી લડવા હકકદાર છે. વકીલોના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે તેવા ઉમેદવારોની જ બાર એસો. ને જરૂર છે.

‘અકિલા' ની  શુભેચ્‍છા મુલાકાતે આવેલ શ્રી રાજાણીએ જણાવેલ કે જૂનીયર અને સીનીયર વકીલો તેમની પસંદગીને આવકારી રહેલ હોય તેઓનો ટેકો મળી રહેલ હોય. ‘અકિલા' ના મોભી કિરીટભાઇ ગણાત્રાના આર્શીવાદ મેળવ્‍યા હતાં

(3:37 pm IST)