Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

રાજકોટમાં મનપાની ઓટીપી આધારીત ફરિયાદ નિવારણ સીસ્‍ટમ રાષ્‍ટ્રીયકક્ષાએ અમિત અરોરાએ માહિતી આપી

મુંબઇ ખાતે ઇ-ગવર્નન્‍સ રીજીયોનલ કોન્‍ફરન્‍સ યોજાઇ : કેન્‍દ્રીય મંત્રી જીતેન્‍દ્રસિંહ, મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી શિંદે, ડે.સી.એમ ફડણવીસની ઉપસ્‍થિતી

રાજકોટ,તા. ૨૫: ડિપાર્ટમેન્‍ટ ઓફ એડમિનિસ્‍ટ્રેટિવ રીફોર્મ્‍સ એન્‍ડ પબ્‍લિક ગ્રીવન્‍સ, ભારત સરકાર અને જનરલ એડમિનિસ્‍ટ્રેશન ડિપાર્ટમેન્‍ટ, મહારાષ્ટ્ર સરકાર દ્વારા સંયુક્‍તરીતે તા. ૨૩ અને ૨૪ જાન્‍યુઆરી,ના રોજ મુંબઇ ખાતે કેન્‍દ્રીય મંત્રી જીતેન્‍દ્રસિંહ અને મહારાષ્ટ્રના મુખ્‍યમંત્રી  એકનાથ શિંદે અને  નાયબ મુખ્‍યમંત્રી  દેવેન્‍દ્ર ફડનવીસની ઉપસ્‍થિતિમાં ઇ-ગવર્નન્‍સ રિજિયોનલ કોંફરન્‍સ યોજાઈ હતી.

જેમાં મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ રાજકોટમાં મનપા દ્વારા સફળતાપૂર્વક અમલમાં મુકવામાં આવેલી ઓટીપી અને ફીડબેક આધારિત ફરિયાદ નિવારણ સિસ્‍ટમ વિશે પ્રેઝન્‍ટેશન સાથે સ્‍પીચ આપી હતી. આ રિજિયોનલ કોંફરન્‍સમાં વક્‍તા તરીકે ઉપસ્‍થિત રહેવા મ્‍યુનિ. કમિશનર  અમિત અરોરાને વિશેષ નિમંત્રણ મળ્‍યું હતું, જે અનુસંધાને તેઓ ગઈકાલે આ કોન્‍ફરન્‍સમાં ઉપસ્‍થિત રહયા હતા.

  ‘ઈ-ગવર્નન્‍સ' પ્રોજેક્‍ટ હેઠળ વિવિધ રાજયોમાં ઈ-સર્વિસીસ ડીલીવરી વિષય પર યોજાયેલા સેશનમાંᅠ ઉપસ્‍થિત મ્‍યુનિસિપલ કમિશનર  અમિત અરોરાએ રાજકોટ મહાનગરપાલિકાને OTP એન્‍ડ ફીડબેક બેઝડ જાહેર ફરિયાદ નિવારણ સિસ્‍ટમના સફળ અમલીકરણ માટે પ્રાપ્ત થયેલ એવોર્ડ અંગે જાણકારી આપવાની સાથોસાથ આ વિષય પર સંબોધન કરતા આ સિસ્‍ટમ વિશે માહિતી આપી હતી.

(3:26 pm IST)