Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

વિધાનસભા ૬૯માં ‘આપ' ની પરિવર્તન યાત્રા

 રાજકોટ : રાજકોટ : આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં પરિવર્તન યાત્રા નિકળેલ છે. જેના ભાગ રૂપે આજરોજ વિધાનસભા-૬૯ના વિસ્‍તારમાં સવારે પંચનાથ મહાદેવની પૂજા અર્ચના કરી ત્‍યાંથી લીમડા ચોક, ઇગલ ચોક, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક, રૈયા રોડ, હનુમાન મઢી, નિર્મળા રોડ યુનિ. રોડ, સાધુવાસવાણી રોડ, રૈયા રોડ થી ૧પ૦ ફૂટ રીંગ રોડ, નાણાવટી ચોક, એસ.કે. ચોક, લાખના બંગલા પાસે પૂર્ણ થયેલ. આ પરિવર્તન યાત્રામાં આપ-નેતા ઇસુદાન ગઢવી, પ્રદશે સંગઠન મંત્રી રાજભા ઝાલા શહેર અધ્‍યક્ષ શિવલાલ પટેલ, શહેર ઉપપ્રમુખ દિનેશભાઇ જોષી તેમજ આપ કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા હાજર રહી લોકોનું અભિવાદન લીધેલ. તેમજ શહેર કારોબારીના હોદ્દેદારો, તેમજ ઝોન પ્રભારીઓ, દરેક વોર્ડના હોદ્‌ેદારો અને સભ્‍યો, દરેક મોરચાના હોદ્દેદારો તેમજ સભ્‍યો આ પરિવર્તન યાત્રામાં બહોળી સંખ્‍યામાં બાઇક અને કાર સાથે હાજર રહ્યા હતા. કાર્યક્રમ સફળ બનાવવા શહેર સંગઠન મહામંત્રી રાહુલભાઇ ભુવા, શહેર મહામંત્રી સંજયસિંહ વાઘેલા, કે. કે. પરમારના દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી. આ યાત્રા ઇન્‍ચાર્જ તરીકે વોર્ડ ં. ૧૦ પ્રમુખ લાલજીભાઇ ચૌહાણ તથા ડોકટર સેલ પ્રમુખ ડો. પ્રદિપસિંહ ઝાલા તેમજ વોર્ડ નં. ૧,૭,૮,૯, ૧૦ ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. શહેર અધ્‍યક્ષ શિવલાલ પટેલની યાદીમાં જણાવેલ છે.

(3:56 pm IST)