Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

સોરઠીયાવાડી વિસ્‍તારમાં મસમોટા ખાડા : અકસ્‍માતનો ભય

રાજકોટ : શહેરના સોરઠીયાવાડી વિસ્‍તારમાં ગેસની પાઇપલાઇન નાખવા માટે ખોદવામાં આવેલ ખાડા ન બુરાતા અકસ્‍માતનો ભય ઉભો થયો છે. લતાવાસીઓના જણાવ્‍યા મુજબ સોરઠીયાવાડી પ્‍લોટની શેરી નં. ૨માં ગેસ કંપની દ્વારા ખોડેલા ખાડા ભયજનક છે. અહીં નાના બાળકોનો પણ આવરો-જાવરો હોવાથી વાલીઓમાં ચિંતા વધી છે. વોર્ડના કોર્પોરેટર ભારતીબેન બકુલભાઇ મકવાણા સહિતના વિસ્‍તારવાસીઓ દ્વારા તાકિદે આ ખાડા બુરવા માંગ કરવામાં આવી છે.

(3:43 pm IST)