Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

સોમવારે રાજકોટના મુખ્‍ય માર્ગો પર શ્રી બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા ભવ્‍યાતિભવ્‍ય શોભાયાત્રા નિકળશે

શ્રી સનાતન ધર્મ કાજે શોભાયાત્રામાં યુવાનોને જોડાવવા આહવાનઃ છનીયારા, દોશી, વાંક, જાડેજા, ડેર, વાળા, રૂપારેલ

રાજકોટઃ શહેરમાં તા. ૧ અને ૨ જુનના રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે સનાતનધર્મની ધરોહર સરકાર શ્રી બાબા ધિરેન્‍દ્રકૃષ્‍ણ શાસ્‍ત્રીના ભવ્‍ય-દિવય દરબાર કથાનું ભવય આયોજન કરવામાં આવ્‍યું છે, આપણા આ રાજકોટ શહેરમાં જયારે સુવર્ણ ઇતિહાસ થવા જઇ રહયો છે, ત્‍યારે શહેરના મુખ્‍ય રાજમાર્ગો પર આપણા સનાતન હિન્‍દુ ધર્મના ઇતિહાસ ઉજાગરા કરતી ભવ્‍યાતી ભવ્‍ય ધર્મ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે, આ શોભાયાત્રાનો તા. ૨૯ ને સોમવારે સાંજે ૪ કલાકે થી શહેરના શાત્રી મેદામ ખાતેથી પ્રારંભ થશે.

આ શોભાયાત્રામાં શહેરની સેવાકિય સંસ્‍થાઓ દ્વારા જુદા જુદા ફલોટસ તૈયાર કરવામાં આવશે, તેમજ ગુજરાતના સાધુ-સંતો વગેરે પણ આ શોભાયાત્રામાં જોડાશે, ઉપરાંત ૭૦૦ થી પણ વધારે ગાડીઓ કાફલો રહેશે ખને ડી.જે. ના તાલે અને ઢોલ -શરણાઇના સુર સાથે પ્રસ્‍થાન કરવામાં આવશે.

આ ભવયાતિભવ્‍ય ધર્મયાત્રા-શોભાયાત્રામાં જોડાવા માંગતા યુવાનો શોભાયાત્રાના અને શ્રી સનાતન ધર્મરક્ષક સમિતિના ગુજરાત પ્રમુખશ્રી વિજયભાઇ વાંક. મો. ૯૮૨૪૪૬૫૩૭૬, શ્રી યોગીનભાઇ છનીયારા મો. ૯૮૨૫૦ ૭૫૦૨૩, શ્રી ભરતભાઇ દોશી મો.૯૮૨૫૨ ૧૧૯૩૮ તેમજ કરણી સેનાના   પ્રમુખશ્રી કૃષ્‍ણસિંહ જાડેજા  મો. ૯૮૯૮૫૦૦૮૦૦, શ્રી સુરજભાઇ ડેર મો. ૯૪૨૮૬૪૪૪૪૪, શ્રી રાજવિરસિંહ વાળા મો. ૯૪૦૮૮૧૧૧૧૧, શ્રી કેયુરભાઇ રૂપારેલ મો. ૯૭૨૫૦ ૦૦૩૦૨ 

આ આયોજન સફળ બનાવવા શ્રી બાગેશ્વર ધામ સેવા સમિતિના સર્વેશ્રી યોગીનભાઈ છનીયારા, ભરતભાઈ દોશી, કિશોરભાઈ ખંભાયતા, જયદેવસિંહ જાડેજા, ગુણવંતભાઈ ડેલાવાળા, મુકેશભાઈ દોશી, મૌલિનભાઈ ઉકાણી (બાનલેબ), કાંતીભાઈ ઘેટીયા, મિલનભાઈ કોઠારી, રવિભાઈ ચાંગેલા, ચંદુભા પરમાર, સુજીતભાઈ ઉદાણી, ચમનભાઈ સિંધવ, શાંતુભાઈ રૂપારેલીયા, જયેશભાઈ બોલબાલા, રવિભાઈ વેકરીયા, સાગરભાઈ સાબડ, વિક્રમભાઈ શિયાળીયા, નિલેષભાઈ ચૌહાણ, અભિષેકભાઈ અઢીયા, સહદેવસિંહ ડોડીયા, મિતુલભાઈ ગોસ્‍વામી, નિખીલભાઈ પોપટ, બ્રિજેશભાઈ પટેલ, શકિતસિંહ પરમાર, બાલાભાઈ વાછાણી, બાલાભાઈ પ્રજાપતિ વગેરે દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

(4:47 pm IST)