Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

ભાજપ દ્વારા કાલે તમામ વોર્ડ બુથમાં ‘મન કી બાત' કાર્યક્રમ ટીફીન બેઠક

રાજકોટ,તા. ૨૫ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયું છે કે દર માસના અંતિમ રવીવારે નરેન્‍દ્રભાઈ મોદી આ કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો શેર કરે છે.તે ‘મન કી બાત'નું આકાશવાણી અને દુરદર્શન ના તમામ નેટવર્કો પર પ્રસારિત કરવામાં આવે છે. વડાપ્રધાન કાર્યાલય, સૂચના  અને પ્રસારણ મંત્રાલય તથા દુરદર્શન સમાચારની યૂ-ટયુબ ચેનલો પર પણ ઉપલબ્‍ધ હોય છે. જે અંતર્ગત શહેરના તમામ વોર્ડના બુથમાં  આવતીકાલે તા.ર૬ના રવિવારે સવારે ૧૧ કલાકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ ‘મન કી બાત વીથ ટીફીન બેઠક કે સાથ' કાર્યક્રમ યોજાશે.

જેમાં શહેરના તમામ બુથોમાં શકિતકેન્‍દ્રમાં ‘મન કી બાત' કાર્યક્રમ પૂર્ણ  થયે ટીફીન બેઠક યોજાશે. આ ટીફીન બેઠકમાં અગ્રણીઓ  દ્વારા જે-તે શકિતકેન્‍દ્રમાં કાર્યકર્તાઓ સાથે આગામી કાર્યક્રમો અને વિવિધ સંગઠનાત્‍મક બાબતો અંતર્ગત ચર્ચા-પરામર્શ કરવામાં આવશે. પ્રદેશ ભાજપની યોજનાનુસાર ‘મન કી બાત' કાર્યક્રમ ને વધુને વધુ બુથો સુધી પહોંચાડવા માટે  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ મહાનગર કક્ષાએ વિરેન્‍દ્રસિંહ ઝાલાને તથા વિધાનસભા-૬૮માં અશોક લુણાગરીયાને, ૬૯ માં પરેશ હુબંલને, ૭૦માં દીવ્‍યરાજસિંહ ગોહિલને તેમજ ૭૧માં રાજુભાઈ બોરીચાને જવાબદારી સોંપાઈ તેમજ તમામ વોર્ડમાં વોર્ડપ્રભારી-વોર્ડપ્રમુખ જવાબદારી સંભાળશે. 

(4:09 pm IST)