Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સત્યાગ્રહ સમેટાયો, રાજભાના પારણા

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનું અપમાન કરાયુ હોય આ બાબતે ન્યાયી તપાસ અને પગલાની માંગણી સાથે આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજભા ઝાલાની આગેવાની હેઠળ સત્યાગ્રહ સાથે અનશન આંદોલન શરૂ કરાયુ હતુ. દરમિયાન પોલીસ કમિશ્નરશ્રીએ આ સમગ્ર મામલાની તપાસ ડીસીપીને સોંપી યોગ્ય કાર્યવાહીની ખાત્રી ઉચ્ચારતા ઉપવાસીઓએ પારણા કર્યા હતા. આપના પ્રદેશ પ્રમુખ પ્રો. કિશોરભાઇ દેસાઇએ પારણા કરાવેલ. આ સમયે પ્રદેશ મંત્રી મનોજભાઇ સોરઠીયા, પ્રભારી અજીતભાઇ લોખીલ, શહેરના આગેવાનો શિવલાલભાઇ પટેલ, દિવ્યકાંતભાઇ કગરા, દીલીપસિંહ વાઘેલા, રાજેશભાઇ પાનસુરીયા, જુલીબેન લોઢીયા, નૈમિષ પાટડીયા, ક્ષત્રિય સમાજના જે. પી. જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, લાલુભા જાડેજા, પૃથ્વીસિંહ ઝાલા, ઇન્દુભા રાઓલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:08 pm IST)