Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

રેલનગરમાં મહાદેવનું મંદિર મ્યુ. કોર્પોરેશને તોડી પાડતા વોર્ડ ન. 3ના કોંગી આગેવાનોનો આશ્ચર્યજનક કાર્યક્રમ: એક કાર્યકરે ભગવાન શિવનો વેશ ધારણ કરી રોષ ઠાલવ્યો: પોલીસે કરી અટકાયત

રાજકોટ: મહાનગર પાલિકા દ્વારા રેલનગરમાં ભગવાન મહાદેવનુ મંદિર તોડી પાડતા તેના વિરોધમાં રેલનગર આસ્થા ચોક ખાતે વોર્ડ નં. 3ના કોંગ્રેસ આગેવાનો દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં એક કાર્યકરે ભગવાન શિવનો વેશ ધારણ કરી ત્રિશુલ હાથમાં રાખી જણાવ્યું હતું કે મારૂં મંદિર તૂટતા મારે કૈલાસથી આવવું પડ્યું છે. આગેવાનો દિલિપ આસવાણી, અતુલ રાજાણી, ગાયત્રીબા વાધેલા અતુલ રાજાણી રણજીત મુંધવા, ગીતાબેન પુરબીયા, ભાવેશ પટેલ, કિશનસીહ રાયજાદા, ગૌરવ પુજારા સહિતે કોર્પોરેશનની આ કામગીરી અયોગ્ય જણાવી હતી અને ભાજપના રાજમાં મંદિર તૂટતા ભક્તોની લાગણીને ઠેસ પહોંચ્યાનું કહ્યું હતું. હર હર મહાદેવના નારા સાથે કાર્યકરો રોડ પર બેસી જતા પ્ર. નગર પોલીસે અટકાયત કરી હતી.

(12:54 pm IST)