Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

શામળાજીથી રાજકોટ જમાઇના ઘરે આવેલા શિક્ષકનું બેભાન હાલતમાં મોત

કમજીભાઇ ગામેતી સારવાર માટે આવ્‍યા હતા

રાજકોટ તા. ૨૬: શામળાજી પાસે રહેતાં અને અંબાજી નજીકના ગામની પ્રાથમિક સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં કમજીભાઇ વિરજીભાઇ ગામેતી (ઉ.૫૨) બિમાર હોઇ રાજકોટ ભોમેશ્વરમાં રહેતાં દિકરી-જમાઇના ઘરે સારવાર માટે આવ્‍યા હોઇ અહિ ગત રાતે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનારને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયાએ જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:47 am IST)