Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ગાયો સાથે ગૌશાળાના સંચાલકો ધસી આવ્‍યા :

રાજય સરકારે ગૌશાળાના નિભાવ માટે પ૦૦ કરોડની સહાયની જોગવાઇ કરવા છતાં એક પણ ગૌશાળાને નાણા નહિ આપતા રોષે ભરાયેલા રાજકોટ જીલ્લાના ગૌશાળાના સંચાલકો ગાયો સાથે રાજકોટ કલેકટર કચેરીએ દોડી આવ્‍યા હતા, અને કચેરીમાં ગાયો છૂટી મૂકી દેવાની યોજના બનાવી હતી, પરંતુ તસ્‍વીરમાં દેખાય છે તેમ પોલીસે જડબેસલાક બંદોબસ્‍ત ગોઠવતા આ  કારી ફાવી ન હતી, દરવાજા બંધ કરી દેવાયેલ, પરીણામે સંચાલકોએ દેખાવો યોજયા હતા, રામધૂન બોલાવી હતી. તસ્‍વીરમાં ગાયો સાથે ઉમટી પડેલ ગૌશાળાના સંચાલકો નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(4:17 pm IST)