Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

દેવાનંદના જન્‍મદિનની રાજકોટના કેશુભાઇ દ્વારા અનોખી રીતે ઉજવણી

રાજકોટ તા. ૨૬ : દેવાનંદના અનન્‍ય ચાહક એવા રાજકોટના કેશુભાઇ રાઠોડે સ્‍વ. દેવ સાહેબના જન્‍મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. ફોટાને ફુલહાર કરી દાન ધર્માદો કરી દેવાનંદજીને યાદ કરેલ. અહીં ઉલ્લેખનીય છે કે રાજકોટના ભીલવાસમાં રહેતા કેશુભાઇએ પોતાની પાનની દુકાનનું નામ પણ ગાઇડ રાખેલ છે. દેવઆનંદના નિધનના દિવસે આખો દિવસ દુકાન બંધ રાખી હતી. મ્‍યુ. કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારી એવા કેશુભાઇ રાઠોડ (મો.૯૪૨૭૫ ૬૧૨૧૪)  દેવઆનંદને રૂબરૂ પણ મળી ચુકયા છે. આજે તા. ૨૬ ના દેવસાહેબના જન્‍મ દિવસની તેઓએ વિશેષ ઉજવણી કરેલ.

(3:55 pm IST)