Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

પંચવટી સોસાયટીમાં વૃધ્‍ધ કાંતિભાઇનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૨૬: પંચવટી સોસાયટી-૧૦માં ઓમ મકાન ખાતે રહેતાં કાંતિભાઇ મોહનભાઇ સંતાણી (ઉ.૬૫) નામના વૃધ્‍ધે બારીની ગ્રીલમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.
આપઘાત કરનારને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પરિવારમાં બે ભાઇઓ છે. તેઓ ઓઇલ અને સ્‍ટીલનો વેપાર કરતાં હતાં. કારણ બહાર ન આવતાં માલવીયાનગરના એએસઆઇ વનીતાબેને તપાસ યથાવત રાખી છે.

 

(4:08 pm IST)