Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલમાં પશ્ચિમ બંગાળના મનોજ મિથુન મંડલનું વિનામૂલ્યે સફળ ઓપરેશન

બાળદર્દીને જન્મથી જ હૃદયની તકલીફ હતી, હૃદયની ડાબી બાજુનો વાલ્વ પહોળો થઈ ગયો હતો

રાજકોટઃ ''દિલ વિધાઉટ બીલ''ના નામે જાણીતી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૦ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે દર્દીઓને ગરીબ હૃદયરોગના  વિનામૂલ્યે  નવ જીવન આપીને આ હોસ્પિટલે સેવાક્ષેત્રે અનન્ય ઉદાહરણ પૂરૃં પાડ્યું છે.. આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદયના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજ્યોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૧ વર્ષ થી મેળવી રહ્યા છે.અત્યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦ થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે , અને ૨૦,૦૦૦થી વધારે હૃદય રોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.

 શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ (કાલાવડરોડ) આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે વિનામુલ્યે ઓપરેશન થાય છે આસાથે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના, માઁ યોજના તથા આયુષ્માન ભારત યોજનાનો લાભ પણ હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે .

આવું જ એક  દર્દી મનોજ મિથુન મંડલ (ઉમર ૧૪ વર્ષ રહેવાસી ગામઃ કાલી તલાદીયા પોસ્ટ કાલીતલાદીયા, જિલ્લોઃ મુર્શિદાબાદ,વેસ્ટ બેંગાલનું રહેવાસી)  હદયની  તકલીફના નિદાન માટે આવેલ હતું.

 દર્દીના કુટુંબના ૭ સભ્યો છે. દર્દીના પિતા ખેતમજૂરી કરે છે. તેમની માસિક આવક આશરે રૂ.૧૦,૦૦૦ થી રૂ.૧૨,૦૦૦ છે. દર્દીને હદયની તકલીફ   જન્મથી જ હતી. તેઓએ બિરભુમની કોઈ હોસ્પિટલમાં નિદાન કરાવતા હદયના વાલ્વની બીમારી છે. અને ઓપરેશન  કરાવવું પડશે. તેમ જણાવેલ હતું. પરંતુ આ ગરીબ કુટુંબના આર્થીક મુશ્કેલીને હિસાબે ઓપરેશનના ખર્ચ કરી શકે તેમ ન હતા.

  જયારે આ દર્દી  શ્રી  સત્ય સાંઈ  હાર્ટ હોસ્પિટલ, રાજકોટ ખાતે આવતા જરૂરી રિપોર્ટ્સ કરતા માલુમ પડેલ હતું કે દર્દીના  હદયનો ડાબી બાજુનો વાલ્વ પહોળો  થઇ  ગયો હતો અને લીક કરતો હતો . જેના હિસાબે હદયના ધબકારા અનિયમિત  થઇ  જતા  હતા અને શ્વાશ લેવામાં પણ તકલીફ થતી હતી . આ દર્દીનું વાલ્વ રિપેર કરવાનું ઓપરેશન  સફળતાપૂર્વક વિના મુલ્યે કરવામાં આવેલ હતું.

 દર્દીને સંપૂર્ણપણે સ્વસ્થ થયા બાદ તા ૧૯.૧૧.૨૦૨૧ ના રોજ રજા  આપવામાં આવી હતી.

(2:58 pm IST)