Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ગાંધી નિર્વાણ દિને કતલખાના બંધ રાખવા મ્‍યુ. કમિશ્‍નરનો આદેશ

તા. ૩૦ જાન્‍યુઆરી માટે મનપાનું જાહેરનામુ : માંસ, મટન, મચ્‍છી તથા ચીકનના વેચાણ કે સંગ્રહ ઉપર પણ પ્રતિબંધ

રાજકોટ,તા. ૨૭ : આગામી તા. ૩૦ના રોજ ‘મહાત્‍મા ગાંધી નિર્વાણ દિન' નિમિતે મહાનગરપાલીકાના વિસ્‍તારમાં આવેલ તમામ પ્રકારના કતલાખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્‍છી અને ચીકનનું વેચાણ કે સ્‍ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું મ્‍યુ.કમિશ્‍નર અમિત અરોરા દ્વારા બહાર પાડવામાં આવ્‍યું છે.આ અંગે સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ -૧૯૪૯ની કલમ ૩૨૯ અને કલમ ૩૩૬ તથા વંચાણે લીધેલ મહાનગરાલીકાના બાયલોઝ અન્‍વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.

(3:52 pm IST)