Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

પૂ.શામજીબાપુની ૪૦મી પૂણ્‍યતિથિ મહોત્‍સવ ઉજવાશે

રવિવારે સંતવાણી : સોમવારે ધર્મસભા - શોભાયાત્રા - મહાઆરતીના કાર્યક્રમો

રાજકોટ : શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ આયોજીત શ્રી શ્‍યામ મંદિર સમિતિ દ્વારા પરમ પૂજય સંત શિરોમણી શ્રી શ્‍યામજીબાપુની ૪૦મી પૂણ્‍યતિથિ તા.૩૦ મહાસુદ નોમને સોમવારના રોજ પૂણ્‍યતિથિ મહોત્‍સવ ઉજવવાનું આયોજન કરેલ છે.

કાર્યક્રમની રૂપરેખા આ મુજબ છે. પૂજન વિધિ - સવારે ૬:૩૦, ધર્મસભા સવારે ૧૦ કલાકે, શોભાયાત્રા સવારે ૮ કલાકે કમલેશ્વર મંદિરેથી પ્રસ્‍થાન થશે. મહાઆરતી સાંજે ૭ કલાકે રાખેલ છે.

આ ઉપરાંત તા.૨૯ના રવિવારે રાત્રે ૯:૩૦ કલાકે આયોજીત સંતવાણીના કાર્યક્રમમાં સંજયભાઈ ટાંક (ભજનીક), હીનાબેન હીરાણી (ભજનીક), ભાવેશભાઈ વાઢેર (ભજનીક), ગોવિંદભાઈ હેરભા (લોકસાહિત્‍યકાર) તથા સાજીંદા ગ્રુપ જમાવટ કરશે.

જયારે તા. ૩ ફેબ્રુઆરીના શુક્રવારના દિવસે શ્રી વિશ્વકર્માદાદાની જયંતિ નિમિતે બ્‍લડ ડોનેશન કેમ્‍પ તથા સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન કરેલ છે. સર્વે જાહેર જનતાને બહોળી સંખ્‍યામાં લાભ લેવા શ્રી શ્‍યામ મંદિર રાજકોટ દ્વારા આમંત્રણ અપાયુ છે. આયોજનમાં શ્રી શ્‍યામ મંદિર સમિતિ ટ્રસ્‍ટના પ્રમુખ અરવિંદભાઈ જાદવજીભાઈ રાઠોડ - મો. ૯૪૨૬૮ ૪૯૦૩૭, ઉપપ્રમુખ ચંદુભાઈ ખીમજીભાઈ ગરનારા - મો. ૯૮૨૪૮ ૧૨૪૨૭, ખજાનચી દિનેશભાઈ લાલજીભાઈ મારૂ મો.૯૪૦૮૮ ૯૬૮૬૮, સભ્‍યો વિનોદભાઈ મોહનભાઈ યાદવ - મો. ૯૮૨૫૭ ૬૫૮૬૫, સાગરભાઈ રસીકભાઈ પરમાર મો. ૯૮૯૮૧ ૪૫૮૫૮, મહેશભાઈ અરજણભાઈ સોલંકી મો.૯૮૨૫૫ ૪૮૬૯૭, હસુભાઈ ગોકળભાઈ કાચા - મો. ૯૮૨૪૮ ૩૪૩૫૪, સુરેશભાઈ મનસુખભાઈ ટાંક - મો.૯૮૨૪૨ ૦૯૬૪૨, નટુભાઈ કરશનભાઈ વાઘેલા - મો. ૯૯૭૯૯ ૮૭૯૮૩, નિલેશભાઈ દેવજીભાઈ રાઠોડ - મો. ૯૬૩૮૯ ૦૧૯૯૧, રીતેષભાઈ નરેન્‍દ્રભાઈ ટાંક - મો.૯૮૨૫૨ ૯૫૩૩૩ જોડાયા છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:53 pm IST)