Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

શ્રી ખોડલધામ મંદિરે ફુલોથી તિરંગો બનાવાયો

રાજકોટઃ  શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કામ કરતી શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ દ્વારા શ્રી સરદાર પટેલ ભવન ખાતે પ્રજાસત્ત્ાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપ્યા બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઉપપ્રમુખશ્રી તુષારભાઈ લુણાગરીયા દ્વારા પ્રાસંગિક સંબોધન કરેલ.શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાન મા ખોડલને કેસરી, સફેદ અને લીલા ફૂલોમાંથી બનેલો હાર અર્પણ કરવામાં આવ્યો છે. સાથે મા ખોડલની મૂર્તિ પાસે થતાં ફૂલોના શણગારમાં ફૂલોથી તિરંગો બનાવવામાં આવ્યો  હતો. ભાવિકોએ શણગાર દર્શનનો લાભ લીધો હતો.

(3:55 pm IST)