Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

શ્રેષ્‍ઠ ઔદ્યોગીક તાલીમ સંસ્‍થાઓને ઇનામ અપાશે

આઇ.ટી.આઇ.ની પસંદગી માટે સમિતિની રચના

રાજકોટ તા.ર૭ : રાજયની સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્‍થાને શ્રેષ્‍ઠ કામગીરી સબબ એકથી ત્રણ ક્રમના પારીતોષિક આપવાનું સરકારે નકકી કરેલ છે શ્રેષ્‍ઠ સંસ્‍થાની પસંદગી માટે તજજ્ઞોની સમિતી બનાવવામાં આવી છે. સમિતિમાં સુરતના પ્રાદેશિક કચેરીના નાયબ નિયામક શ્રીમતી એ.પી.પટેલ, મણિનગરના એસ.એમ.પટેલ, ગાંધીનગરના જે.બી.મિષાી દાહોદના ડી.પી.મકવાણા, વ્‍યારાના એમ.એસ.પટેલનો સમાવેશ થાય છે. આ અંગે શ્રમ રોજગાર વિભાગના ઉપસચિવ એમ.જી. બંધીયાની સહીથી પરિપત્ર પ્રસિધ્‍ધ કરવામાં આવેલ છે.

(4:27 pm IST)