Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

મનસુખભાઈ સિરોયાની ૧૪મી પૂણ્‍યતિથિ નિમિતે વીએમપી ગ્રુપ દ્વારા કાલે મહારકતદાન કેમ્‍પ

રાજકોટ : સ્‍વ.મનસુખભાઈ મોહનભાઈ સિરોયાની ૧૪મી પૂણ્‍યતિથિએ વીએમપી ગ્રુપ દ્વારા આવતીકાલે તા. ૨૮ના શનિવારે મહારકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે.

પેડક રોડ એસબીઆઈ બેંકની સામે રણછોડનગર ખાતે કાલે સવારે ૮ થી સાંજે ૪ સુધી આયોજીત આ મહારકતદાન કેમ્‍પમાં અંદાજે રકતની ૧૫૦૦ બોટલ એકત્ર થશે. સિવિલ હોસ્‍પિટલ, વોલેન્‍ટરી બ્‍લડ બેંક, નાથાણી બ્‍લડ બેંક અને રેડક્રોસનો સહયોગ મળેલ છે. સાથોસાથ હિમોગ્‍લોબીન ટેસ્‍ટ દવા સાથેનો કેમ્‍પ પણ રાખેલ છે.

આ રકતદાન કેમ્‍પમાં રાજકોટ સિલ્‍વર એસોસીએશન, ચાણકય ગ્રુપ - ઈસ્‍ટ ઝોન, સમકાલીન ન્‍યુઝ, ખોડલધામ સમિતિ, શ્‍યામ યુવા ગ્રુપ, સુરભી યુવા ગ્રુપ, દ્વારકાધીશ યુવા ગ્રુપ, રામાપીર યુવક મંડળ, ન્‍યુ મહારાષ્‍ટ્ર મંડળ, શ્રી કાંતિ માનવ સેવા ટ્રસ્‍ટ અને શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપનો સહયોગ મળેલ છે.

આયોજનને સફળ બનાવવા વી.એમ. પટેલ, નિલેશભાઈ કામદાર, જગદીશભાઈ ગઢીયા, વિપુલભાઈ ગઢીયા, ઋત્‍વિકભાઈ કોઠીયા, જયભાઈ સીરોયા, મોહિતભાઈ સિરોયા, સાગરભાઈ સાવલીયા, તુલસીભાઈ ગઢીયા, સુરેશભાઈ સીરોયા, મુકેશભાઈ કોઠીયા, આનંદભાઈ ગઢીયા, કિશનભાઈ ગઢીયા, મયુરભાઈ વેકરીયા, યશભાઇ સીરોયા, વિનય જસાણી વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. આ અંગે વધુ માહિતી માટે મો. ૯૭૧૨૧ ૬૪૪૪૮ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:01 pm IST)