Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના આવતીકાલના કાર્યક્રમ સંદર્ભે એરપોર્ટ ટુ સરકીટ હાઉસ, એરપોર્ટ ટુ આટકોટનું ઓપ્‍શનલ રૂટ રીહર્સલ યોજાયું

રાજકોટઃ આવતીકાલે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી આટકોટ ખાતે હોસ્‍પીટલના ઉદઘાટન માટે પધારી રહયા છે ત્‍યારે સ્‍પેશ્‍યલ ઓપરેશન ગૃપ દ્વારા સ્‍થાનીક પોલીસ સામે સુરક્ષાના જડબેસલાક બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યા છે. મોદીજીનું ખાસ પ્‍લેન રાજકોટ ઉપર લેન્‍ડ થયા બાદ રાજકોટ એરપોર્ટથી આટકોટ  હેલીકોપ્‍ટર મારફત જવાના છે. આ સંજોગોમાં એસપીજી દ્વારા ઓપ્‍શનલ રૂટ બાય રોડ આટકોટ અને સરકીટ હાઉસ રાજકોટ સુધીનું રિહર્સલ આજે સવારે કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર અનિવાર્ય કારણોસર કરવો પડે તો બીજી વ્‍યવસ્‍થાના ભાગરૂપે આ રિહર્સલ થયાનું જાણકાર સુત્રોનું કહેવું છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

 

(11:34 am IST)