Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

આજી-૨ ડેમના હેઠવાસના ગામોને સાવચેત રહેવા સુચના: રાત્રે ૮.૧૫ વાગ્યે ડેમના ૩ દરવાજા ૧ ફુટ ખોલવામા આવ્યા

ડેમમાં ૨૦૩૪ ક્યુસેક પાણીના પ્રવાહની આવક છે. હાલમાં ડેમમાંથી ૨૦૩૪ ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવે છે

રાજકોટ: રાજકોટ તાલુકાના, માધાપર ગામ પાસેનો આજી-૨ ડેમ તેની નિર્ધારિત સપાટીએ પૂરેપૂરો ભરાઈ ગયેલ હોવાથી રાત્રે ૮.૧૫ વાગ્યે ડેમના ૩ દરવાજા ૧ ફુટ ખોલવામાં આવેલ છે, ડેમમાં ૨૦૩૪ ક્યુસેક પાણીના પ્રવાહની આવક છે. હાલમાં ડેમમાંથી ૨૦૩૪ ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવે છે.

 ડેમની હેઠવાસમાં પડધરી તાલુકાના સેક્સ અડબાલકા, બાધી, દહીસરડા, ડુંગરકા, ગઢડા, નારણકા, જુના નારણકા, હરીપર,ખંઢેરી, નાગરકા અને ઉકરડા તથા ટંકારા તાલુકાના સખપર અને કોઠારીયા ગામોના રહેવાસીઓને નદીના પટમાં અવર - જવર નહીં કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવે છે.
તેમ ફલડ ઓફીસર અને અધિક્ષક ઇજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ (ફ્લડ સેલ)ની યાદીમાં જણાવવામાં આવ્યું છે .

 

 

(9:22 pm IST)