Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

કમાલ...ધમાલ... કિશોરાભાસઃ ૨ જુલાઈએ કિશોરકુમારના મસ્તીભર્યા ગીતોનો કાર્યક્રમ

મુંબઈના ગાયક આલોક કાટદારે અને અશ્વિની મહેતા કિશોરદાના ગીતો પીરસશેઃ વરસાદી માહોલમાં યોજાશે અનોખો કાર્યક્રમઃ સંગીતપ્રેમીઓને આમંત્રણ

રાજકોટઃ કમાલ... ધમાલ... કિશોરાભાસ શિર્ષક હેઠળ કિશોરકુમારના સુમધુર ગીતોના કાર્યક્રમનું આયોજન થયું છે.

આગામી તા.૨ જુલાઈના શનિવારના રોજ રાત્રીના ૯ઃ૩૦ વાગ્યાથી હેમુગઢવી હોલ ખાતે કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમમાં મુંબઈના સુપ્રસિધ્ધ ગાયક આલોક કાટદારે સંગીત પ્રેમીઓને ઝુમાવવા આવી રહ્યા છે. સાથે અશ્વિની મહેતા પણ સૂર પૂરાવશે.

સંગીતના સૂર અને તાલ સાથે સંગીતકાર, રાજુ ત્રિવેદી, દર્શિત કાચા, હિતેશ મહેતા સાથ આપશે. અમદાવાદના ખ્યાતનામ એન્કર (મોહસિન શેખ) પોતાના શબ્દોથી શ્રોતાજનોને આનંદ કરાવશે. સૂરીલા ગાયકોને સુંદર બનાવશે વિરાંગ ત્રિવેદીના સૂર સાઉન્ડ.

વરસાદના આવા આનંદદાયક વાતાવરણમાં આ કાર્યક્રમ માણવા સંગીતપ્રેમીઓને અનુરોધ કરાયો છે.

આ કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે મો.૯૮૭૯૫ ૮૭૮૭૫, મો.૯૮૨૪૪ ૪૧૭૧૭, મો.૯૮૨૪૨ ૦૩૦૬૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(5:05 pm IST)