Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

હરિપ્રસાદ સ્વામીની ખોટ કાયમ રહેશેઃ હિરેન જોશી

રાજકોટ તા. ર૭ :.. હરિધામ સોખડા યોગી ડીવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજ આત્મીય યુનિવર્સિટીના પ્રણેતા હરિપ્રસાદ સ્વામીના દેહ વિલય અને પરમધામ ગમન અંગે શોકની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી પાઠવતા જિલ્લા ભાજપ અગ્રણી હિરેન જોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર હિંદુ સમાજના આધ્યાત્મિક જગતને સંપ, સુહૃદભાવ અને એકતાના પાયા પર દેશ-વિદેશોમાં લાખો સત્સંગીઓને પંચવર્તમાનનું પાલન કરવા સાથે 'દાસ ના દાસ' નું સૂત્ર આપી અનોખા સમાજનું નિર્માણ કરનાર પૂ. સ્વામીજીની ખોટ હંમેશા રહેશે.

(3:42 pm IST)