Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

જુનાગઢમાં જુના મનદુઃખને લીધે રિયાઝ પર હુમલો

શાહીદ દલ, હસન સહિતના પાંચેક શખ્‍સોએ છરી-પાઇપથી ઘાયલ કરતાં રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૭: જુનાગઢના કુંભારવાડામાં સુખનાથ રોડ પર રહેતો અને છુટક કામ કરતો રિયાઝ હુશેનભાઇ હીંગોરા (ઉ.૨૨) સાંજે સાડા સાતેક વાગ્‍યે જાલોરાપા માર્કેટ પાસેથી નીકળ્‍યો ત્‍યારે ત્‍યાં ઉભેલા શાહીદ દલ, હસન અને અજાણ્‍યા ચારેક શખ્‍સોએ ઝઘડો કરી છરી-પાઇપથી હુમલો કરી ઘાયલ કરતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે જુનાગઢ એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. રિયાઝના સગાના કહેવા મુજબ અગાઉ ઝઘડો થયો હોઇ જુના મનદુઃખનો ખાર રાખી હુમલો કરાયો હતો. સવારે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાંથી રિયાઝને રજા આપવામાં આવી હતી. જુનાગઢ પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

(11:39 am IST)